Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૫: તાજેતરમાં કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી દ્વારા સમગ્ર ભારતમાં કોંગ્રેસ પક્ષમાં 'સંગઠન સૃર્જન અભિયાન'ની શરૂઆત કરવા આયોજન કર્યું હતું જેની ગુજરાતથી શરૂઆત થઈ છે.
આ કામગીરીના ભાગરૂપે દ્વારકા જિલ્લાના કોંગ્રેસના તમામ હોદ્દેદરો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓન સાંભળવા માટે તેલંગાણાના પૂર્વ સાંસદ તથા પૂર્વ કેન્દ્રિય મંત્રી બલરામ નાઈક તથા પ્રભારીઓનું આગમન ખંભાળિયામાં થયું હતું.
ખંભાળિયામાં અતિથિ હોટલ પાસે કોંગ્રેસની જિલ્લા કારોબારી બેઠક પહેલા તમામ હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતાં, જેમાં દ્વારકા જિલ્લાના આગેવાનો જોડાયા હતાં તથા સંગઠનના સંદર્ભમાં વિવિધ આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બલરામ નાઈક તથા અન્ય આગેવાનો દ્વારા આજે સવારથી સાંજ સુધી દ્વારકા જિલ્લાના અન્ય તાલુકાઓનો પ્રવાસ યોજાયો છે.
સવારે દ્વારકાથી શરૂઆત થઈ છે, તે પછી ભાટિયા અને પછી ભાણવડનો પ્રવાસ કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial