Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૧૧: ધ્રોલના ખારવા રોડ પર દોઢેક મહિના પહેલાં એક યુવાનને મોટરસાયકલે ઠોકર મારી પછાડ્યા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા યુવાને બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલ શહેરના આંબેડકર નગરમાં રહેતા જલાભાઈ બાઘુભાઈ વકાતર નામના યુવાન ગઈ તા.૨૦ સપ્ટેમ્બરની બપોરે ધ્રોલના ખારવા રોડ પર રામરોટી આશ્રમ પાસેથી પસાર થતાં હતા ત્યારે જીજે-૧૦-ઈબી ૨૬૩૮ નંબરના મોટરસાયકલના ચાલકે તેઓને હડફેટે લીધા હતા.
મોટરસાયકલની ઠોકરે ચઢી ગયેલા જલાભાઈને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ર૬૩૮ નંબરની બાઈકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial