Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં દત્તાણી કુટુંબના કુળદેવીનો ઉજવાશે પ્રાગટ્ય ઉત્સવ

આગામી તા. ૧૯ ના દિને આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૬: ખંભાળીયામાં લોહાણા જ્ઞાતિના દત્તાણી કુટુંબના કુળદેવી રૂડી લાખી તથા રૂપામાં ના ૫૨૭માં પ્રાગટ્ય ઉત્સવનું આયોજન તા. ૧૯-૭-૨૫ના દિને વારાહી ચોકમાં રૂડી લાખી માતાજીના મંદિરે કરવામાં આવ્યું છે. સવારે હવનનો આરંભ થશે, સવારે ૧૧ વાગ્યે બીડું હોમાશે તથા ત્યાર પછી કુટુંબના સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રાગટ્ય દિનના આગલા દિવસે તા. ૧૮-૭-૨૫ની રાત્રે ગાયત્રી ગરબા મંડળ સાથે રાસ-ગરબા યોજાશે. તા. ૧૮ અને ૧૯ ના સાંજે દીપમાળા તથા મહાઆરતી થશે. હવનના મુખ્ય યજમાનપદે પાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દત્તાણી તથા દિપકભાઈ દત્તાણી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh