Advertisement
Author: નોબત સમાચાર

માથામાં દુખાવો થતાં અને શ્વાસ ઉપડતા યુવાનનું સારવારમાં મૃત્યુ

હર્ષદપુરના વૃદ્ધાને હૃદયરોગનો હુમલો ભરખી ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના લાલવાડી વિસ્તારમાં અટલ રેસીડેન્સીમાં રહેતા એક યુવાનને માથામાં દુખાવો અને શ્વાસ ઉપડતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ થયું છે. જ્યારે ઉમરની બીમારીથી પીડાતા ખંભાળિયાના હર્ષદપુરના વૃદ્ધાને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા અટલ રેસીડેન્સીમાં સી વીંગમાં ૭૦૧ નંબરના ફલેટમાં વસવાટ કરતા લોમેશભાઈ બાબુભાઈ ચાંદેગરા નામના ત્રીસ વર્ષના કુંભાર યુવાન ગઈ તા.૨૦ની સવારે પોતાના ઘરે હતા ત્યારે માથામાં દુખવા માંડ્યું હતું અને શ્વાસ ચડ્યો હતો. આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી લોમેશભાઈનું મૃત્યુ થયાનું તેમના પત્ની ભાગ્યેશ્રીબેને પોલીસમાં જાહેર કર્યું છે.

ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના જયાબેન દામજીભાઈ નકુમ (ઉ.વ.૮પ) નામના વૃદ્ધાને બુધવારે રાત્રે બ્લડપ્રેશર નીચું ઉતરી જતા હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. ઉંમરની બીમારીથી પીડાતા આ વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ થયાનું પુત્ર વિનોદભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh