Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ફ્લાય ઓવર બ્રિજનું તા. ર૦ ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે લોકાર્પણ

નગરજનોની લાંબા સમયની આતૂરતાનો અંતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ જામનગરમાં આખરે લાંબા સમયથી જેની લોકો રાહ જોઈ રહ્યા હતાં તે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું આગામી તા. ર૦ ના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તંત્ર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વર્ષોથી બની રહેલા આ બ્રિજનું કામ હવે આખરી તબક્કામાં છે, અને તેના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે. આખરે ફ્લાય ઓવર બ્રિજના ઉદ્ઘાટનનું મુહૂર્ત આવી ગયું છે.

આગામી તા. ર૦ અને ગુરુવાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે અને ટાઉનહોલમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના હસ્તે આ ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ માટે સ્થાનિક અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા તડામાર તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh