Advertisement
Author: નોબત સમાચાર

ધંધાખારના કારણે મોટરમાં તોડફોડ

અંદાજે રૂ.૧ લાખના નુકસાનની રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના રાંદલનગર નજીક કોમન પ્લોટમાં રાખવામાં આવેલી એક મોટરમાં ધંધાખારના કારણે ગઈકાલે રાત્રે એક શખ્સે તોડફોડ કરી રૂ.૧ લાખનું નુકસાન કર્યાની ફરિયાદ થઈ છે.

જામનગરના રામેશ્વરનગર પાસે રાંદલનગરમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા નવલસિંહ ભીખુભા જાડેજા નામના આસામીએ ગઈકાલે સાંજે પોતાની જીજે-૧૦-ડીઆર ૮૪૮૮ નંબરની ક્રેટા મોટર રાંદલનગરના કોમન પ્લોટમાં રાખી હતી.

તે મોટરમાં ધંધાખારના કારણે દિવ્યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા નામના શખ્સે તોડફોડ કરી છ કાચ ફોડી નાખવા ઉપરાંત ડીસપ્લે તોડી નાખતા કુલ રૂ.૧ લાખનું નુકસાન સર્જવા અંગે દિવ્યરાજસિંહ સામે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh