Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા ટ્રસ્ટમાં કરાયેલી કહેવાતી ઉચાપત અંગેના કેસમાં એક આરોપીના જામીન મંજૂર

રૂ।.સોળેક કરોડની ઉચાપતની થઈ છે ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરના કનસુમરા ગામના ટ્રસ્ટ દ્વારા રૂ।.૧૬ કરોડ જેટલી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હોવાની રાવ સાથે એક આસામીએ કેટલાક ટ્રસ્ટીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં ઝડપાયેલા એક આરોપીએ કરેલી જામીન અરજી મંજૂર કરાઈ છે.

જામનગર નજીકના કનસુમરા ગામની હદમાં આવેલી અવેડીયા તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતની માલિકીની જમીનનું જીઆઈડીસીમાં જે તે વખતે સંપાદન થયું હતું અને તેના વળતર પેટે રૂ।.ર૦થી રર કરોડ નવા રચાયેલા ટ્રસ્ટને કનસુમરા ગામના રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ વગેરે સુખાકારી માટે ફાળવવામાં આવ્યા હતા.

તે રકમમાંથી અંદાજે રૂપિયા સોળેક કરોડની રકમ ચેકથી અન્ય ટ્રસ્ટ તેમજ એનજીઓમાં ટ્રાન્સફર કરી લેવાઈ હોવાના અને તે ટ્રસ્ટોને કમીશન આપી બાકીની રકમ રોકડમાં કેટલાક ટ્રસ્ટીઓએ મેળવી અંગત વપરાશમાં વાપરી નાખ્યાની પોલીસમાં કનસુમરામાં કાસમ દોસમામદ ખીરાએ ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસે શરૂ કરેલી તપાસ પછી આરોપીઓની ધરપકડ શરૂ કરી હતી. તેમાં હનીફ અલારખા ખીરા ઉર્ફે જીનડી નામના શખ્સની પણ ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે. આરોપી તરફથી વકીલ અશોક એચ. જોષી, એમ.એચ. ખારા, પી.પી. મકવાણા, એસ.એચ. રૃંઝા, જયોતિ પરમાર રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh