Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા તાલુકામાં 'વરસાદ બન્યો વેરી'

પાક બચાવવા ખેડૂતોના મરણિયા પ્રયાસોઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયામાં પ્રતિવર્ષ ૮૦/૯૦ ઈંચ વરસાદ પડતો હતો જ્યારે આ વર્ષે ર૬ ઈંચ વરસાદ જ પડતા તથા અન્ય તાલુકામાં ૪૦/પ૦ ઈંચ વરસાદ પડવા છતાં પણ ખંભાળિયા તાલુકાના ખેડૂતો ખુશ હતાં, કેમ કે મોટાભાગના ડેમો છલકાઈ ગયેલા તથા ખરીફ પાક મગફળીમાં શરૃઆતથી મગફળી તૈયાર થવા સુધી જ્યારે ખેડૂતને પાણીની જરૃરત હોય પીવડાવા પીયતની તૈયારી કરે ત્યાં વરસાદનું આગમન થતું હતું, પરંતુ છેલ્લે માવઠાના બે ઈંચ વરસાદે તથા સમગ્ર વાતાવરણે પલટો ખાતા ખેડૂતોનો તૈયાર પાક પાણીમાં ૫લળી જતાં આખી સીઝન 'મિત્ર'ની જેમ સમયસર વરસાદે આવીને મઝા કરાવેલી, પણ છેલ્લે 'વેરી'ની જેમ તૈયાર પાક પર માવઠાનો કહેર વરસતા ખેડૂતો દુઃખી દુઃખી થઈ ગયા હતાં.

જે વરસાદ આવતા આનંદિત થતા તેને વરસતો જોઈને પાક બગડતો જોઈ લાચાર સ્થિતિમાં મૂકાયેલ 'જગતના તાત'ની માનસિક સ્થિતિ બગડી છે. મગફળીની સાથે મગફળીના પાથરાના ઘાસચારા પર પણ પાણી ફળી વળ્યાની સ્થિતિ થઈ છે.

તાલપત્રીના કાળાબજાર

દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર તથા ખંભાળિયા વિસ્તારમાં માવઠુ આવતા ખેડૂતો પોતાનો પાક વધુ વરસાદ આવે તો બચાવવા માટે મોટી સંખ્યામાં તાલપત્રી તથા પ્લાસ્ટિક ખરીદીને તેનાથી મગફળી બચાવવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતાં. માવઠાથી પીડિત ખેડૂતો પાસેથી કેટલાક દુકાનદારો દ્વારા વધુ ભાવો લઈ લેવા સંગ્રહખોરી કરીને ઓછો જથ્થો હોવાથી વધુ ભાવ લેવાયા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઊઠી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh