Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાકીના સાત આરોપીને જેલહવાલે કરી દેવાયાઃ
જામનગર તા. ૮: ખંભાળિયા પાસેની ખાનગી કંપનીમાંથી સુત્રાપાડા કોલસો પહોંચાડવાનો પેટા કોન્ટ્રાક્ટ મેળવનાર ટ્રાન્સપોર્ટ પેઢીના સંચાલક સહિત આઠ સામે માર્ગમાં કોલસામાં ભેળસેળ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તે ગુન્હામાં આરોપીઓની ધરપકડ કરાયા પછી મુખ્ય સૂત્રધારના રિમાન્ડ મંજૂર થયા છે.
ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાંથી સુત્રાપાડામાં આવેલા જીએચસીએલ કંપનીમાં પેટકોકનો જથ્થો પહોંચાડવા માટે રાણાવાવના આસામીની સમીર ટ્રાન્સપોર્ટ નામની પેઢીએ કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો અને તે પેઢી પાસેથી જામનગરના દિલીપ ઓડેદરા નામના આસામીની પેઢીએ પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.
ત્યારપછી ખંભાળિયાની સિદ્ધનાથ ઈન્ડસ્ટ્રીઝ અને વેબ્રિજના માલિક સહિતના વ્યક્તિઓએ દિલીપ ઓડેદરાની કંપનીમાંથી નીકળતી ટ્રકોના ડ્રાઈવરો સાથે મળી જઈ છ ટનથી વધુ વજનના કોલસાની ભેળસેળ કરી જીએચસીએલ કંપનીમાં પહોંચાડી દીધો હતો.
ઉપરોક્ત ફરિયાદ પોલીસમાં થયા પછી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે કરેલી તજવીજમાં તમામ આરોપી ઝડપાઈ ગયા હતા. દિલીપની રિમાન્ડ મેળવવામાં આવી છે, બાકીના આરોપીને જેલ હવાલે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial