Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી બીચ પરથી ત્રણ ટન પ્લાસ્ટિક-કચરો એકત્ર કરાયો

'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત 'સ્વચ્છતા અભિયાન'

                                                                                                                                                                                                      

'સ્વચ્છતા હી સેવા ર૦રપ' અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે પહેલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ 'સેવા પર્વ-ર૦રપ' હેઠળ જોડિયા તાલુકાના બાલાચડી બીચ પર 'સ્વચ્છતા અભિયાન' હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જામનગરના નિયામક શ્રી એસ.એમ. કાથડ, ડી.સી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), શ્રી વી.બી. ગોસ્વામી, જોડિયાના તાલુકા વિકાસ અધિકારી, આરએફઓ તથા વન અને પર્યાવરણ વિભાગના કર્મીઓ, બાલાચડીના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, સ્વસહાય જૂથની બહેનો, વિવિધ યોજનાઓના કર્મચારીઓ અને બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતાં. આ સ્વચ્છતા અભિયાન દરમિયાન અંદાજે ૩ ટન પ્લાસ્ટિક અને અન્ય નક્કર કચરો એકત્ર કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh