Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાડામાં પશુપાલકે બાંધીને રાખ્યા હતા ૩૦૦ ઘેટા બકરાઃ
જામનગર તા. ૨૧: જોડિયા તાલુકાના માવનુગામમાં વસવાટ કરતા એક પશુપાલકના વાડામાંથી ગયા ગુરૂવારની રાત્રે ત્યાં બાંધવામાં આવેલા ૩૦૦ ઘેટા બકરામાંથી કોઈ શખ્સ ૩ર ઘેટા બકરાની ચોરી કરી ગયો છે. પોલીસે રૂ.અઢી લાખની કિંમતના ઘેટા બકરા ચોરી જનારના સગડ દબાવ્યા છે.
જોડિયા તાલુકાના માવનુગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કિશનભાઈ રેવાભાઈ લાબરીયા નામના આસામીના ૩૦૦ ઘેટા બકરા તેઓના વાડામાં બાંધીને રાખવામાં આવતા હોય છે.
તે વાડામાં ગયા ગુરૂવારની રાત્રિના ત્રણેક વાગ્યે ઘૂસી ગયેલા કોઈ શખ્સોએ તેમાંથી ૩ર ઘેટા બકરાની ચોરી કરી લીધી છે. સવારે વાડા પર આવેલા કિશનભાઈને ૩ર ઘેટા બકરા ઓછા હોવાનું જણાઈ આવતા તેઓએ તપાસ કરાવ્યા પછી પોતાના પરિવારને જાણ કરી હતી. તેથી તેમના પિતરાઈ રાજેશભાઈ અરજણભાઈ લાબરીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જોડિયા પોલીસે અંદાજે રૂ.ર લાખ ૫૬ હજારની કિંમતના ૩ર ઘેટા બકરાની ચોરી કરી જવા અંગે અજાણ્યા શખ્સ સામે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial