Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ચંદ્રગ્રહણનું જીવંત પ્રસારણઃ માર્ગદર્શન

ખગોળ મંડળ- ગુજકોસ્ટ પ્રેરિત વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા આયોજનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરની ખગોળમંડળ સંસ્થા, ઉપરાંત ધ્રોલના ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ દ્વારા જામનગરના પ્રદર્શન મેદાનમાં ગઈકાલે રવિવારે રાત્રિના ૧૦.૦૦ વાગ્યાથી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન અવકાશી ખગોળીય ઘટના ૨૦૨૫ ની સાલના અંતિમ ખગ્રાસ ચંદ્રગ્રહણના નિદર્શનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જામનગરની ખગોળમંડળ સંસ્થા, ઉપરાંત ધ્રોલના ગુજકોસ્ટ પ્રેરિત એમ.ડી. મેતા વિજ્ઞાન કેન્દ્ર ની ટીમ તેમજ જામનગરના રંગતાલી ગ્રુપના સહયોગથી ગઈકાલે તારીખ ૭મી સપ્ટેમ્બરના રાત્રિના ૧૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી જાહેર જનતા માટે ચંદ્રગ્રહણ નિદર્શનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ગઈકાલે જામનગરનું હવામાન ક્લિયર ન હોવાથી અને આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાના કારણે ટેલિસ્કોપના માધ્યમથી ચંદ્રગ્રહણ નિદર્શન કાર્યક્રમ શક્ય બન્યું ન હતું, પરંતુ ઈન્ટરનેટ ના માધ્યમથી લિંક કનેક્ટ કરીને સ્થળ પર જ એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યો હતો, અને તેના પર ચંદ્રગ્રહણની લાઈવ ગતિવિધિઓ અને તસવીરો કેદ કરીને તેનું જાહેરમાં નિદર્શન કરાયું હતું.

સાથોસાથ ચંદ્રગ્રહણની તમામ ગતિવિધિઓ અને બ્રહ્માંડના અન્ય ગ્રહો- તારામંડળ વિશેની પણ તમામ ખગોળપ્રેમીઓને સમજ આપવામાં આવી હતી.

જ્યારે સવાલ-જવાબ સાથેના ચંદ્રગ્રહણ થવાના કારણો, અને સમાજમાં કેટલીક અંધઃશ્રદ્ધાને લગતી તમામ બાબતો અંગે લોકોને જાણકારી આપી અને આ એક ઐતિહાસિક અને અવકાશી વિરલ ઘટના બને છે, તે અચૂક નિહાળવા પર ભાર મૂક્યો હતો.

જામનગર ખગોળ મંડળના મુખ્ય સંયોજક કિરીટભાઈ શાહ, તેમજ અમિત વ્યાસ ઉપરાંત ગુજકોસ્ટ પ્રેરીત એમ.ડી. મેંતા વિજ્ઞાન કેન્દ્ર- ધ્રોળના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા ઉપરાંત તેઓની ટીમના રવિ ગજ્જર, પંકજ ડાંગર વગેરે દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સાથે-સાથે બ્રહ્માંડમાં અનેક ગ્રહો તારામંડળ જે સર્વેની વિસ્તૃત જાણકારી પણ અપાઇ હતી, અને તે અંગેના વિડીયો તથા સ્લાઈડ શો વગેરે દર્શાવીને નાના ભૂલકાઓ સહિતના અનેક ખગોળ પ્રેમી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 આ વેળાએ જામનગરમાં આકાર પામી રહેલા ગુજકોસ્ટ પ્રેરિત રીજીયોનલ સાયન્સ સેન્ટરના ડિઝાઇનેશન પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. જ્યોતિન કટેશીયા પણ ઉપસ્થિત રહૃાા હતા, અને ગ્રહણ વિશે જાણકારી આપી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh