Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિ. પં. કર્મચારી સંઘની કારોબારી બેઠક યોજાઈઃ હોદ્દેદારો તથા સભ્યોની વરણી

મુખ્ય હોદ્દેદારો સતત ત્રીજી ટર્મ માટે બિનહરીફઃ

                                                                                                                                                                                                      

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘની કારોબારી બેઠક તાજેતરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાઈ હતી. બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬થી બે વર્ષ માટે કારોબારી સભ્યો અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય હોદ્દેદારોમાં સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે વી.પી.જાડેજા અને એન.એમ. ઓઝા તથા સચિવ તરીકે સેજપાલ શ્રીરામની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ખજાનચી તરીકે વિજય બથવાર અને સહમંત્રી તરીકે તૃપ્તીબેન સાગઠિયાની તેમજ નવા કારોબારી સભ્યો તરીકે રાજભા જાડેજા, પંકજ વીરડીયા અને દરેક કેડરના કર્મચારી મંડળમાંથી પ્રતિનિધિ પસંદ કરીને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh