Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન ક્રમમાં ફેરફાર

દિવાળી તથા નૂતનવર્ષ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૫: દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરે દિવાળી તથા નૂતનવર્ષ નિમિત્તે શ્રીજીના દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૧૯ (ધનતેરસ) નિત્યક્રમ મુજબ દર્શન થશે. તા. ૨૦ (રૂપ ચતુર્દશી દિવાળી)ના સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતી, ૬:૩૦ થી ૭:૩૦ સ્નાન દર્શન બંધ, અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. બપોરે ૧ વાગ્યે અનોસર, સાંજે ૫ વાગ્યે ઉત્થાપન, રાત્રે ૮:૧૫ વાગ્યે હાટડી દર્શન, રાત્રે ૯:૪૫ વાગ્યે શયન, તા. ૨૧ના સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી, ૧૧:૩૦ વાગ્યે અનોસર, સાંજે ૫ થી ૭ અન્નકુટ દર્શન, રાત્રે ૯:૪૫ વાગ્યે શયન, તા. ૨૨ (નૂતનવર્ષ) એ નિત્યક્રમ મુજબ દર્શન રહેશે. તા. ૨૩ (ભાઈબીજ) ના સવારે ૭ વાગ્યે મંગળા આરતી અને અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સર્વે ભકતજનોને દર્શનનો લાભ લેવા હિમાંશુ ચૌહાણ (વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh