Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી ન અપાતા અપીલ કરાયા પછી બીજી અપીલઃ
જામનગર તા. ૧૩: જામનગરના પ્રદર્શન મેદાનની માહિતી માંગનાર એડવોકેટને માહિતી આપવામાં ન આવતા તેઓએ પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર વિરૂદ્ધ ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ દાખલ કરી છે. તેઓએ પાંચ પાનાની કરેલી લેખિત અને મોખિક દલીલ તેમજ ૧૨ ચૂકાદા અને ૭ પરિપત્ર પણ ધ્યાને ન લેવાયાનું જણાવ્યું છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં ભાડે આપવામાં આવેલી જગ્યા અંગે ભાડાની આવક વગેરે માહિતી મેળવવા માટે જામનગરના પ્રાંત અધિકારી સમક્ષ જુલાઈ મહિલામાં એક એડવોકેટે અરજી કરી હતી. તેની માહિતી ઉપલબ્ધ નથી તેવો પ્રત્યુત્તર મળ્યો હતો.
તેની સામે સપ્ટેમ્બરમાં અધિક નિવાસી કલેકટર સમક્ષ અપીલ કરાતા બે સપ્તાહમાં તેની સુનાવણી કરાઈ હતી. તે પછી પણ વિગતો પ્રાપ્ત ન થતાં પ્રાંત અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરની કાર્યવાહીથી નારાજ આ એડવોકેટે તાજેતરમાં રાજ્યના માહિતી આયોગ પાસે અપીલ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial