Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિનદયાળ (કંડલા) પોર્ટ દ્વારા
જામનગર તા. ૧: કાલાવડ (શીતલા) માં રામજીભાઈ ડાયાભાઈ સોમૈયા દલિત સમાજ ભવનમાં અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયના બાંધકામ માટે ખૂબ મોટી રકમની જાહેરાત દીન દયાલ પોર્ટ (કંડલા પોર્ટ) દ્વારા કરવામાં આવનાર છે. જેનો પહેલો હુકમ રૂ. ૭પ લાખ (પંચોતેર લાખ) નો થયો છે. સમાજના ટ્રસ્ટના હોદ્દેદારોને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાણજીભાઈ રાઠોડ, આર.કે. ચાવડા, ભરતદાસ બાપુ, ગાંધીધામ-કચ્છ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી અને સ્થાનિક આગેવાનો પ્રવિણભાઈ વઘોરા, મગનભાઈ વઘોરાએ ફંડ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા તેમજ દલિત સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
આ ફંડ મેળવવા માટે સહયોગ આપવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નાથાભાઈ વારસાકીયા અને જામનગર શહેર ભાજપના ઉપપ્રમુખ રાજુભાઈ, યાદવ લખ્મણભાઈ ચાવડા અને સ્થાનિક સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial