Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં સજા થયા પછી નાસી ગયેલા બે આરોપીની અટકાયત

અદાલતે ઈસ્યુ કર્યા હતા સજાના વોરંટઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક આસામી સામે ચેક પરતની બે ફરિયાદ તથા એક આસામી સામે એક ફરિયાદ કરાઈ હતી. આ ગુન્હાઓમાં અદાલતે સજા ફટકારતા બંને આરોપી પલાયન થઈ ગયા હતા. આ આરોપીઓને પકડી લઈ પોલીસે જેલહવાલે કર્યા છે.

જામનગરના ગોકુલનગર નજીક આવેલા મારૂતિનગરમાં રહેતા જેન્તીભાઈ દેવરાજભાઈ ચોવટીયા નામના આસામી સામે વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪માં અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુ એક્ટ હેઠળ બે ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે ઢીંચડા રોડ પર યોગેશ્વરધામમાં રહેતા કુલદિપસિંહ ભરતસિંહ જાડેજા સામે વર્ષ ૨૦૨૩માં અદાલતમાં ફરિયાદ થઈ હતી.

ઉપરોક્ત ગુન્હાઓમાં જેન્તીભાઈ ચોવટીયા તથા કુલદિપસિંહ જાડેજાને સજા ફટકારવામાં આવી હતી. સજાના હુકમ સમયે બંને આરોપી હાજર ન હોવાથી અદાલતે સજા વોરંટ ઈસ્યુ કર્યા હતા. ત્યારથી આ શખ્સો નાસતા ફરતા હતા. બંનેને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.બી.ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.એ.પરમાર તથા સ્ટાફે પકડી પાડયા છે. બંને આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh