Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામનગર તાલુકાના ચાવડા ગામમાં ગુરૂવારે રાત્રે ઝઘડો થયો હતો. એક યુવાને કોઈ જુગાર રમે તો પોલીસ બોલાવવી છે તેમ કહ્યા પછી ઉભા થયેલા મનદુખના કારણે ચાર વ્યક્તિ વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના ચાવડા ગામના અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા નામના યુવાને ગયા ગુરૂવારે પોતાના મિત્રો સાથે મજાક મસ્તીમાં વાત કરી હતી કે, ગામમાં કોઈ જુગાર રમે તો પોલીસને જાણ કરવી છે. તેનો ખાર રાખી વનરાજસિંહ ચંદુભા જાડેજા અને તેના પુત્ર જયદેવસિંહ જાડેજાએ ઘરે આવીને અર્જુનસિંહ પર હુમલો કરી માથામાં તથા વાંસામાં ધોકો ફટકાર્યાે હતો. વચ્ચે પડનાર અર્જુનસિંહના પિતા તથા બહેન સાથે પણ આ શખ્સોએ ઝપાઝપી કરી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે.
આ ફરિયાદની સામે વનરાજસિંહ ચંદુભા જાડેજાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગુરૂવારે અર્જુનસિંહ એક દુકાન પાસે પોલીસને બોલાવવાની વાતો કરતો હતો તેથી જયદેવસિંહ વનરાજસિંહ જાડેજાએ ફોન પર સમજાવટ કરતા અર્જુનસિંહે ગાળો ભાંડી હતી. તેથી વાત કરવા વનરાજસિંહ અને જયદેવસિંહ ઘરે જતા તેમના પર અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ ચાવડા તેના પિતા રાજેન્દ્રસિંહ દિલુભા ચાવડાએ ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યાે હતો અને ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial