Advertisement
Author: નોબત સમાચાર

આંચકી આવતા પડી ગયેલા યુવાનનું માથામાં ઈજાથી મૃત્યુ

પડી જતાં બેશુદ્ધ બની ગયા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામજોધપુરના કલ્યાણપર ગામના એક યુવાન આંચકી આવતા પોતાના ઘરમાં પડી ગયા હતા. માથામાં ઈજા પામેલા આ યુવાનનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના કલ્યાણપર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેઘાભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાન કેટલાક વખતથી ફિટ-આંચકી આવી જવાની બીમારીથી પીડાતા હતા.

તે દરમિયાન શુક્રવારે સવારે આ યુવાન પોતાના ઘરે હતા ત્યારે અચાનક ફીટ આવી જતા ગબડી પડયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા મહેન્દ્રભાઈને સારવાર માટે બેશુદ્ધ હાલતમાં દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું સારવાર દરમિયાન શનિવારે બપોરે મૃત્યુ નીપજયું છે. પોલીસે મૃતકના માતા જેઠીબેન મેઘાભાઈ પરમારનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh