Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળીમાં ઉકરડા નગરમાં ફેરવાયું જામનગરઃ
જામનગર તા. ર૭: જામનગરના રણજીતનગર કામદાર સરકારી દવાખાના માર્ગે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયા કરતા વધુ સમયથી અહિં કચરો ઉપાડવામાં આવ્યે નથી. જાણે સફાઈ કામદારો દિવાળી વેકેશનમાં ચાલ્યા ગયા હોય તેમ જોવા મળી રહ્યા છે.
અહિં કચરાના ઢગલા અને જેમાં ગાય કચરામાં ખાવાનું શોધતી નજરે પડે છે. અસહ્ય ગંદકીના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.
દરેકને દિવાળીના તહેવારો ઉજવવાનો હક્ક છે, પરંતુ જેમાં રેલવે, એસ.ટી., હવાઈ સેવા આવશ્યક સેવાની જેમ ચાલુ હતી તેવી જ રીતે સફાઈ કામગીરી પણ એટલી જ જરૂરી છે, અને તે દરરોજ નિયમિત સ્વરૂપે કરવી જોઈએ, પરંતુ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ શાખાના સ્ટાફે કોઈ જ ધયાન આપ્યું નહીં, પરિણામે દિવાળીના પવિત્ર દિવસોમાં આ નગર ઉકરડાનગરમાં ફેરવાઈ ગયું હતું. હવે રજાઓ પૂર્ણ થઈ છે, જ્યારે કમિશનર સફાઈ અંગે ચેકીંગ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial