Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીઝ સામે માંગવામાં આવ્યા હતા પૈસાઃ
જામનગર તા. ૨૪ઃ જોડિયા પંથકમાં લીઝ ચલાવવા સામે પૈસાની માગણી કરી થોડા મહિનાઓ પહેલાં એક પ્રૌઢની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. જેલહવાલે રહેલા આરોપીમાંથી શખ્સે જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જોડિયા પંથકમાં વસવાટ કરતા કાંતિલાલ નામના આસામી તેમજ નિલેશ કરશનભાઈ માલવીયાની ઓફિસે જઈ થોડા મહિનાઓ પહેલાં ફિરોઝ આમદ જુણેજા, સલીમ સાયચા નામના શખ્સોએ લીઝ ચલાવવી હોય તો પૈસા આપવા પડશે તેવી માગણી કરી હતી.
ત્યારપછી અયુબ જુમા જસરાયા, અસગર હુસેન કમોરા અને અન્ય શખ્સોએ ધારીયા, તલવાર વગેરે હથિયારો સાથે કાંતિલાલની ઓફિસમાં જઈ હુમલો કર્યા પછી અયુબે પિસ્તોલમાંથી ફાયરીંગ કર્યું હતું. જેમાં કાંતિલાલને ગોળી વાગી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતંુ.
આ બાબતની નિલેશ માલવીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકીના અસગર હુસેન કમોરાએ જામીનમુક્ત થવા અરજી કરી હતી. સરકારી વકીલ રાજેશ વશીયરે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial