Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એ., એમ.એ.ના
જામનગર તા. ૪: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્ટસ વિભાગમાં બી.એ. થી એમ.એ. સુધીના એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટેના પુસ્તકો પ્રસિદ્ધ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના એડવોકેટ ગૌતમ ગોહિલએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામકને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે બી.એ. થી એમ.એ. સુધીના એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરે છે. જેની સંખ્યા બહુ મોટી છે. પરંતુ અભ્યાસક્રમને લગત પુસ્તકો ઉપ્લબ્ધ નહીં હોવાથી અપૂરતી તૈયારીથી પરીક્ષા આપવી પડે છે. તેના કારણે નાપાસ પણ થાય છે. એક્સ્ટર્નલ તરીકે મહત્તમ પરીક્ષાર્થીઓ મોટી ઉંમરના, પરિણીત, અથવા નાના બાળકો ધરાવતા લોકો પરીક્ષા આપતા હોય છે.
અભ્યાસક્રમના પુસ્તકોના અભાવે ધાર્યું પરિણામ મળતું નથી. આખરે થાકી-હારીને પરીક્ષા આપવાનું બંધ કરે છે.
આટલી મોટી યુનિવર્સિટી હોય, ફી વસૂલવામાં આવતી હોય, આથી અભ્યાસક્રમ લગત પુસ્તકો લખવા જોઈએ, તૈયાર કરવા અને પ્રકાશિત કરવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial