Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં બંસી ગ્રુપ દ્વારા ગણેશોત્સવ

સવાર સાંજ આરતી-પૂજનઃ મોટી સંખ્યામાં ઉમટતા ભાવિકો

                                                                                                                                                                                                      

સલાયામાં ઘણાં વર્ષોથી બંસી ગ્રુપ દ્વારા સમસ્ત હિન્દુ સમાજના સહકારથી ગણપતિ બાપાની સ્થાપના વાંઝા દરજી સમાજની વાડીમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ સુંદર કલાકૃતિ સાથેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સવાર સાંજ આરતી તેમજ પૂજન કરવામાં આવે છે. અહીં દરરોજ હિન્દુ સમાજના જુદા-જુદા કપલ પૂજામાં સહભાગી થાય છે. આ ગણેશોત્સવમાં મોટા પ્રમાણમાં ભાઈઓ-બહેનો જોડાય છે. અને પૂજા-અર્ચના કરે છે. આ સમગ્ર આયોજન બંસી ગ્રુપના સ્થાપક ભાવેશભાઈ પરમાર અને જયેશભાઈ પરમાર તેમજ મિત્રમંડળ દ્વારા કરવામાં આવે છે. પૂજા તેમજ આરતી સલાયાના શાસ્ત્રી શ્યામલભાઈ દવે દ્વારા કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh