Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેન હડફેટે ચઢી ગયેલા યુવાનનું નિપજ્યું મૃત્યુઃ
જામનગર તા. ૪: જોડીયામાં પુત્રની સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢને આંચકી આવ્યા પછી હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સમર્પણ જકાતનાકા નજીક રેલવે ફાટક પર એક યુવાન ટ્રેન હડફેટે ચઢી જતાં મોતને શરણ થયા છે.
રાજકોટના મોરબી રોડ પર વસવાટ કરતા ભીખાભાઈ જકસીભાઈ બાટીયા (ઉ.વ.૫૩) નામના પ્રૌઢને આંચકી આવવાની બીમારી હતી. તેઓના પુત્રની સગાઈ જોડીયામાં નક્કી થયા પછી ગઈકાલે ભીખાભાઈ તથા અન્ય પરિવારજનો જોડીયામાં સગાઈમાં આવ્યા હતા.
આ વેળાએ ભીખાભાઈને આંચકી આવી જતા અને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને જોડીયાની હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાયેલા ભીખાભાઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. તેમના પુત્ર રાજુ ભીખાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જામનગરના ગોકુલનગર નજીકની મુરલીધરન સોસાયટીમાં ચંદ્ર સરોવર એપાર્ટમેન્ટમાં રહેતા હસમુખભાઈ ભીખુભાઈ ઝાલા (ઉ.વ.૩૭) નામના યુવાન શનિવારે સાંજે સમર્પણ રોડ જકાતનાકા પાસે રેલવે ફાટક પરથી પસાર થતા હતા ત્યારે અચાનક ટ્રેન આવી જતા હસમુખભાઈ તેની ઠોકરે ચઢી ગયા હતા. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. હીતેશભાઈ સાવલીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial