Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખે ભ્રષ્ટાચાર મુદ્દે મોકલ્યું રાજીનામું

રાજ્યકક્ષાના અનુ. મોરચા તથા જિલ્લા ભાજપ પ્રમુખને

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧રઃ જામરાવલમાં સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા અનુ.જાતિના વિકાસ કાર્યોની ગ્રાન્ટ અન્ય વિસ્તારોમાં વાપરાતા તથા નબળા અને ગુણવત્તા વગરના કામો તથા નિયમ મુજબ કામોના બદલે ભ્રષ્ટાચાર થતો હોવાના સ્થાનિકોના આક્ષેપો તથા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન ફરિયાદો પછી ગઈકાલે જામરાવલના શહેર અનુ.જાતિ મોરચા પ્રમુખ ભાજપે રાજીનામું આપતા ભારે ચર્ચા જાગી છે.

જામરાવલ ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ ગોવિંદભાઈ મકવાણાએ આ રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા જિલ્લા તથા રાજ્ય મોરચા પ્રમુખ તથા સાંસદ-ધારાસભ્યને મોકલીને હાલના સમયમાં જામરાવલમાં પાલિકાની અનુસૂચિત જાતિના વિસ્તારોની વિકાસ ગ્રાન્ટ અન્ય વિસ્તારોમાં ફાળવેલી તથા કામોમાં ગુણવત્તાનો અભાવ, અમુક કામો જ નહીં થવા તથા થયેલા કામોમાં ભ્રષ્ટાચાર અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપ સંગઠનમાં રજૂઆતો છતાં કંઈ ન્યાય ના મળતા સમાજમાં હાંસીપાત્ર થતા હોય, ભાજપ સભ્યપદેથી તથા અનુ.જાતિ મોરચાના શહેર પ્રમુખમાંથી રાજીનામું આપેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh