Advertisement
Author: નોબત સમાચાર

બેહના વતની રાણશીભાઈ ગઢવીને જિલ્લા કક્ષાનો એચ. ટાટ આચાર્યનો એવોર્ડ એનાયત

ખંભાળીયામાં તાલુકા શાળા નં. પ ના આચાર્ય અને

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૮: ખૂબ જ સુંદર કામગીરી બદલ ખંભાળીયા તાલુકા શાળા નં. પ ના એચ. ટાટ આચાર્ય રાણશીભાઈ ગઢવીને જિલ્લાના શ્રેષ્ઠ એચ.ટાટ આચાર્યનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેહ ગામના વતની અને તાલુકા શાળા નં. પ માં શક્તિનગરમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાણશીભાઈ ગઢવીને ગઈકાલે દ્વારકા જિલ્લામાં એચ.ટાટ આચાર્ય પ્રાથમિકમાં જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થતા બેહ ગામ તથા ગઢવી સમાજમાં ભારે આનંદની લાગણી છવાઈ છે.

સલાયા તથા ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં શિક્ષક તથા આચાર્યની ફરજ બજાવનાર રાણશીભાઈ ગઢવીએ શાળામાં છાત્રો સાથે વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી સાથે છાત્રોને જાહેર પરીક્ષાઓમાં અવ્વલ નંબરે પહોંચાડવા સાથે ૪૦ ટકા સુધીની હાજરીનું પ્રમાણ ૮પ ટકા સુધી પહોંચાડવાનું કાર્ય કરવા સાથે અગાઉ સી.આર.સી. કક્ષાનો એવોર્ડ પણ તેમણે મળ્યો હતો. કર્મ એ જ ધર્મ ના સુત્ર સાથે કામ કરતા રાણશીભાઈ ગઢવી તેમની શાળામાં આચાર્ય હોવા છતાં ૧૦ મિનિટ સરકારી કામે બહાર જવું ૫ડે તો પણ મુવમેન્ટ રજિસ્ટરમાં નોંધ કરીને જ જાય છે...!!

રાજયના વન અને પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા, જિ.શિ. મધુબેન ભટ્ટ, શિક્ષણ સમિતિ ચેરમેન, પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા વિગેરે જોડાયા હતાં અને રાણશીભાઈનું સન્માન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh