Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૭ વર્ષ પહેલાં જમીનનો થયો હતો દસ્તાવેજઃ
જામનગર તા. ૨૭: જામનગરના મોટા થાવરીયા ગામમાં આવેલી ખેતીની જમીનના વર્ષ ૨૦૦૮માં થયેલા દસ્તાવેજને રદ્દ કરવાના અદાલતના આદેશને જિલ્લા કોર્ટમાં પડકારાયા પછી નીચેની અદાલતનો હુકમ રદ્દ કરાયો છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી લખમણ કાનજી તથા ગુજરનાર રતીલાલ કાનજીના વારસો પાસેથી ખેતીની જમીન જામનગરના ખોજાનાકા પાસે રહેતા ગુજરનાર મહંમદ ઈસ્માઈલ શેખે ખરીદ કરી હતી. તેનો વર્ષ ૨૦૧૮માં દસ્તાવેજ કરાયા પછી તેમાં ખેતીકામ કરાતું હતું.
તે દરમિયાન આ જમીન વારસાઈ મિલકત હોવાનું જણાવી ગુજરનાર કાનજી રામજીના સંતાનોએ પોતાનો હિસ્સો હોવાનું કહી દસ્તાવેજ રદ્દ કરાવવા અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો મંજૂર રખાયો હતો. ઉપરોક્ત હુકમ સામે મહંમદભાઈ શેખના વારસોએ જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી.
તે અપીલ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટ પાસેથી રેકર્ડ મંગાવી પુરાવાનું ફેર મૂલ્યાંકન કર્યું હતું અને તે પછી દાવો સમય મર્યાદા બહારનો છે તેમજ દાવો કરનાર વ્યક્તિ જમીનના સહમાલિકો છે તેવું ઠરાવવામાં નીચેની કોર્ટે ભૂલ કરી છે તેવા સંજોગોમાં અપીલ મંજૂર રાખી છે અને નીચેની કોર્ટનો હુકમ રદ્દ કર્યાે છે. મહંમદભાઈના વારસો તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial