Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા-પોરબંદર રોડ જળમગ્નઃ ઘી ડેમમાં ૬ર ટકા જળસંગ્રહ
ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પાંચ ડેમો છલકાયા છે, જ્યારે જામરાવલ જળબંબાકાર થયું હતું. ખંભાળિયાથી રાવલ થઈને પોરબંદર જતો માર્ગ ઘણાં સ્થળે જળમગ્ન થયો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદ થોડો મોડો ચાલુ થયો, જેથી જિલ્લાના તમામ ડેમો ખાલી હતાં, પરંતુ છેલ્લા ચાર દિવસથી ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા પંથકમાં મેઘરાજાની સટાસટીથી જિલ્લાના પાંચ ડેમો છલકાયા છે.
દ્વારકા જિલ્લાના ભાણવડનો વેગડી-૧ ડેમ, સોનમતી ડેમ, કલ્યાણપુરનો સિંઘણી ડેમ, ખંભાળિયાનો કંડોરણા ડેમ તથા મહાદેવિયા ડેમ છલકાઈ ગયો છે, જ્યારે વર્તુ-૧ ડેમ ૯૦ ટકા ઉપરાંત ભરાઈ ગયો છે, તો શેઢા ભાડથરી ડેમ ૮૩ ટકા અને ગઢકી ડેમ ૮૦ ટકા ભરાયો છે. ખંભાળિયા શહેર તથા રર ગામોની પાણી યોજનાના આધાર ઘી ડેમમાં હજુ ૬ર ટકા પાણી જ આવ્યું છે. ર૦ માંથી બાર ફૂટ જેટલો ભરાયો છે.
બે દિવસથી જામરાવલ પંથકમાં પાણી પાણી સાથે ભારે વરસાદ પડતા નદીઓ-ડેમોનું પાણી તથા સાની ડેમના પાટિયા ના થયા હોય ખુલ્લો હોય, ચારે તરફ નદીઓની સ્થિતિ સર્જાઈ હતી, તો તા. ર૦/૮ ના તો ખંભાળિયા-પોરબંદર રોડ પર અનેક સ્થળે પાણી ભરાઈ જતા રોડ પરથી પાણી વહેતા થતા કેટલોક સમય નાના વાહનો માટે રસ્તો પણ પોરબંદરનો બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગયો હતો.
દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો વિરામઃ માત્ર ઝાપટા
ગત્ શનિવારથી શરૂ થયેલ મેઘરાજાએ દ્વારકા જિલ્લામાં વિરામ લીધો હોય તેમ ગઈકાલથી આજ સવાર સુધી ર૪ કલાકમાં માત્ર ઝાપટા જ પડ્યા છે. ભાણવડ નવ મી.મી., દ્વારકા ૭ મી.મી., ખંભાળિયા ૩ મી.મી., કલ્યાણપુર શૂન્ય વરસાદ નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial