Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહેલી પરીક્ષામાં ત્રણ વિષયની ગેરહાજરી નહીં ચાલેઃ
નવી દિલ્હી તા. રપઃ સીબીએસઈની ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થશે. ૧૦ મા ધોરણના વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકશે, બીજી પરીક્ષા ૧પ મેથી ૧ જૂન દરમિયાન યોજાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ૧૭ ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧ર ની બોર્ડ પરીક્ષાઓ લેશે. આ પહેલીવાર છે જ્યારે ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ એક શૈક્ષણિક સત્રમાં બેવાર લેવામાં આવશે. પહેલી પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ, ર૦ર૬ દરમિયાન યોજાવાની શક્યતા છે, જ્યારે બીજી પરીક્ષા ૧પ મેથી ૧ જૂન દરમિયાન યોજાઈ શકે છે.
ધોરણ ૧ર ની પરીક્ષાઓ ૧૭ ફેબ્રુઆરીથી ૯ એપ્રિલ, ર૦ર૬ દરમિયાન યોજાવાની શક્યતા જણાવતા શ્રી ભારદ્વાજે જણાવ્યું હતું કે, સામાન્ય માર્ગદર્શિકા મુજબ દરેક વિષયની પરીક્ષાના આશરે ૧૦ દિવસ પછી ઉત્તરવાહીઓનું મૂલ્યાંકન શરૂ થશે અને ૧ર દિવસમાં પૂર્ણ થશે. ઉદાહરણ તરીકે જો ધોરણ ૧ર ભૌતિકશાસ્ત્રની પરીક્ષા ર૦ ફેબ્રુઆરી, ર૦ર૬ ના યોજાશે, તો મૂલ્યાંકન ૩ માર્ચ, ર૦ર૬ ના શરૂ થશે અને ૧પ માર્ચ, ર૦ર૬ સુધીમં પૂર્ણ થશે.
બીજી પરીક્ષા એટલે કે વૈકલ્પિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાઓમાંથી કોઈપણ વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજુરી આપવામાં આવશે. શિયાળા દરમિયાન બંધ રહેતી શાળાઓના વિદ્યાર્થીઓને બેમાંથી કોઈપણ પરીક્ષામાં બેસવાની મંજુરી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં ૩ કે તેથી વધુ વિષયોમાં હાજર ન રહ્યો હોય તો તેને બીજી પરીક્ષામાં બેસવાની મંજુરી આપવામાં આવશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial