Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જન્માષ્ટમીના વેકેશન પછી
જામનગર તા. ર૦: જામનાગર માર્કેટ યાર્ડ આજથી પુનઃ ધમધમતું થયું છે. જામનગર માર્કેટ યાર્ડ ૧પ મી ઓગસ્ટ ને જન્માષ્ટમીના પર્વને લઈને છેલ્લા એક સપ્તાહથી બંધ રહ્યું હતું, ત્યારે તારીખ ર૦ ઓગસ્ટથી એટલે કે આજથી જામનગર માર્કેટ યાર્ડમાં પુનઃ જણસની આવક શરૂ થઈ ગઈ છે.
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ભાવ સારા મળતા જામનગર સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાની જણસ લઈને વેંચાણ કરવા માટે આવતા હોય છે, ત્યારે છેલ્લા એક સપ્તાહથી એટલે કે માર્કેટ યાર્ડ બંધ હતું.
ઉલ્લેખનિય છે કે, વેપારી એસોસિએશનની માગણીને ધ્યાનમાં લઈને ર૦ મી ઓગસ્ટ તેમજ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ નિમિત્તે તહેવારો નિમિત્તે હાપા યાર્ડનું હરાજી તેમજ જણસીઓની આવકનું કામકાજ તા. ૧૩ થી ૧૯-૮-ર૦રપ સુધી બંધ કરવામાં આવ્યું હતું, જે પછી આજથી તારીખ ર૦ ઓગસ્ટથી પુનઃ માર્કેટ યાર્ડ શરૂ થયું છે, જેને પગલે પુનઃ જણસીની હરાજીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial