Advertisement
Author: નોબત સમાચાર

જુનાગઢના માંગરોળ નજીક નાની લાખાણી ગામના યુવાનોને નડ્યો ગમખ્વાર અકસ્માત

એક યુવાને ઘટનાસ્થળે જ દમ તોડી દીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જુનાગઢના માંગરોળ નજીક ગઈકાલે ધોરીમાર્ગ પર જામનગર પાસીંગની મોટર તથા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું અને ત્રણ યુવાન ગંભીર ઈજા પામ્યા હતા. આ યુવાનો દ્વારકાથી સોમનાથ જતી વખતે અકસ્માતનો ભોગ બન્યા હતા. વધુ બે યુવાનોના સારવારમાં મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે.

જુનાગઢના માંગરોળથી વેરાવળ તરફ જવાના ધોરીમાર્ગ પર આવેલા શારદા ગ્રામ નજીક ગઈકાલે બપોરે જામનગર પાસીંગની જીજે-૧૦-ઈસી ૨૯૯૧ નંબરની મારૂતી કંપનીની બલેનો મોટર અને ૩૦૧૫ નંબરના એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બનાવના સ્થળે જ એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.

અકસ્માતના સ્થળે અન્ય વાહનચાલકો થંભી ગયા હતા. ૧૦૮ તથા પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી આવેલી એમ્બ્યુલન્સમાં યશપાલસિંહ મહાવીરસિંહ વાઘેલા, વિપુલસિંહ બળદેવસિંહ ઝાલા, જયપાલસિંહ નામના ત્રણ વ્યક્તિને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના સાદુરકા ગામના દેવેન્દ્રસિંહ મેરૂભા ઝાલા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગર તાલુકાના નાની લાખાણી ગામના યુવાનો અને મોરબીના સાદુરકા ગામના યુવાન સહિતના વ્યક્તિઓ ૨૯૯૧ નંબરની મોટરમાં દર્શનાર્થે દ્વારકા ગયા પછી ત્યાંથી કોસ્ટલ હાઈવે થઈ સોમનાથ દર્શન કરવા જતા હતા ત્યારે માર્ગમાં અકસ્માત સર્જાયો હતો. સારવારમાં પણ બે યુવાનોએ અંતિમ શ્વાસ લીધાનું જાણવા મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh