Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટરમાં બેસાડવાના મામલે ડખ્ખા પછી
જામનગર તા. ૧૪: જામનગરના હાપા પાસે એક યુવાન પર પાઈપથી હુમલો કરવા ઉપરાંત મોટરમાં તોડફોડ કરાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગરના આમરા ગામના દેવશીભાઈ રૂખડભાઈ ટારીયા તથા તેમના ભત્રીજા મહેશભાઈ ટારીયા જામનગરના હાપા પાસે મોટર લઈને આવ્યા હતા ત્યારે મછાભાઈ સંગ્રામભાઈ ટારીયાએ આમરા આવવું છે તેમ કહેતા મહેશભાઈએ ના પાડી હતી.
આથી ઉશ્કેરાયેલા મછાભાઈએ પાઈપથી હુમલો કરી મહેશભાઈને માર માર્યાે હતો અને મોટરમાં કાચ ફોડી નાખ્યા હતા. દેવશીભાઈએ તેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ વિક્રમ સિંહ જેઠવા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial