Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકો. દ્વારા આયોજિત પ્રદર્શન ગ્રાઉન્ડના
જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં નિયમ વિરૂદ્ધ ખડકાયેલા મનોરંજક સાધનોને આજે સીલ કરી દેવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં મેળા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં કેટલાક મનોરંજનના સાધનો ફાળવાયેલ પ્લોટની બહારની જગ્યામાં ખડકી દેવામાં આવ્યા હતા. આજે મહાનગરપાલિકાની ટીમ નાયબ કમિશનર ઝાલા, મુકેશ વરણવા, સુનિલ ભાનુશાલી અને એન.આર.દિક્ષીત વગેરે ચેકીંગ માટે પહોંચ્યા હતા અને ગેરકાયદે ખડકી દેવાયેલ મનોરંજનના સાધનોને સીલ કર્યા હતા.
આ ઉપરાંત રમકડાના સ્ટોલ ધારકોએ પણ વધારાની જગ્યામાં દબાણ કર્યું હતું તેને પણ કડક સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial