Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શનિ મહારાજ પ્રત્યે ભાવિકોની અતૂટ શ્રદ્ધાઃ
ભાણવડ તા. ૨૫: ભાણવડ તાલુકાના હાથલા ગામે ભગવાન શનિદેવનું ખૂબજ પ્રાચીન અને ઐતિહાસીક મંદિર આવેલું છે. આમ તો, આ સ્થળ હવે પર્યટન સ્થળ બની રહ્યું હોવાથી ભાવિકો બારેમાસ શનિદેવને શીશ નમાવવા આવી પહોંચતા હોય છે. મંદિરનું વાતાવરણ રમણિય હોવાથી ભાવિકોને ભારે મજા પડી જાય છે.
ખાસ કરીને શનિદેવના દર્શન કરવા માટે અમાસનું ખૂબજ મહત્ત્વ હોય છે, ત્યારે શનિવાર અને શ્રાવણી અમાસ હોવાથી ભાવિકોની લાંબી કતારો દર્શન કરવા માટે લાગી હતી. બાજુમાં પાણીનો કુંડ છે, ત્યાં ભાવિકો પનોતી ઉતારે છે, અત્રે ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે હાલમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ભાવિકોની ભગવાન શનિદેવ પ્રત્યેની શ્રદ્ધા અતૂટ રહી છે. કેટલાયે ભાવિકો તો રાત્રિના બાર વાગ્યે જ આવી પહોંચતા હોય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial