Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ સુધીની ૬ ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની જાહેરાત પોકળ

બે વર્ષે પણ અમલ થયો નથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: રેલવેના સત્તાધીશોએ અમદાવાદથી રાજકોટ સુધી ૬ ટ્રેન લાંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આજે બે વર્ષ પછી પણ તેની અમલવારી કરવામાં આવી નથી. નાગપુર, પ્રયાગરાજ, નિઝામુદ્દીન, કોલ્હાપુર, પટણા અને કોલકાતાથી આવતી ટ્રેન અમદાવાદથી રાજકોટ સુધી લંબાવી હોવાની જાહેરાત કરી હતી, જેનો અમલ તા. ૧-૧૦-ર૦ર૩થી થવાનો હતો, પરંતુ આજે બે વર્ષ સુધી જાહેરાત પછી અમલ થયો નથી, જ્યારે આ ટ્રેન સત્વરે શરૂ કરવી જોઈએ અને જો તેના રેક ફાજલ રહેતા હોય તો આ તમામ ટ્રેન ઓખા સુધી લંબાવવી જોઈએ તેવી માગણી અને રજૂઆત જામનગર પેસેન્જર્સ એસો.ના માનદ્ મંત્રી ચંદ્રવદનભાઈએ કરી છે. પ્રયાગરાજ, નિઝામુદ્દીન, પટણા અને કોલકાતાની ટ્રેન ઓખા સુધી લંબાવવા માટે દોઢેક વર્ષ પહેલા જ રજુઆત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh