Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એનસીસી કેડેટ્સ દ્વારા 'ડ્રગ ફ્રી ઈન્ડિયા' રેલી યોજાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા રેલીનું પ્રસ્થાનઃ

                                                                                                                                                                                                      

ગુજરાત બટાલિયન એન.સી.સી. અને જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એનસીસી કેડેટ્સ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત શ્રી સત્યાસાઈ સ્કૂલથી 'ડ્રગ ફ્રી ઈન્ડિયા' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવી કેડેટ્સને નશામુક્ત જાગૃતિ સંદેશ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં, તેમજ હાલ સત્યસાઈ સ્કૂલમાં ચાલી રહેલા એનસીસી કેડેટ્સ કેમ્પ વિશે પણ કલેક્ટરે કેડેટ્સ સાથે ચર્ચા કરી હતી. આશરે ૪૦૦ એનસીસી કેડેટ્સ દ્વારા સત્યસાઈ સ્કૂલથી સેવા સદન થઈ સત્યસાઈ સ્કૂલ સુધી રેલીનું આયોજન કરી, વિવિધ સ્લોગનોના માધ્યમથી ડ્રગ ફ્રી રાષ્ટ્રનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ રેલીનો હેતુ યુવાનોમાં વ્યસનના દુરૂપયોગ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર, એડમિરલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સચિન કૌશલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ. રામાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh