Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નિકાવા પાસે બોરવેલના ટ્રકના ઠાઠામાં એસટી ઘૂસીઃ પાંચ મુસાફરને ઈજા

કાલાવડના વૃદ્ધે બસચાલક સામે કરી રાવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: કાલાવડ-રાજકોટ માર્ગ પર નિકાવા ગામ પાસે શનિવારે બપોરે રોડની સાઈડમાં પડેલા બોરવેલના ટ્રકની પાછળ એસટીની બસ ટકરાઈ પડતા બસમાં જઈ રહેલા પાંચ મુસાફર ઘવાયા છે.

કાલાવડ નજીકના નિકાવા ગામ પાસેથી શનિવારે બપોરે દોઢેક વાગ્યે જીજે-૧૮-ઝેડટી ૧૧૦૯ નંબરની એસટી બસ પસાર થતી હતી. તે બસના ચાલકની બેદરકારીના કારણે નીકાવા પાસે રોડની સાઈડમાં ઉભેલા બોરવેલના એક ટ્રક પાછળ બસ ટકરાઈ પડી હતી.

આ અકસ્માતમાં કાલાવડની શિતલા કોલોનીમાં રહેતા વિકાલચંદ્ર છોટાલાલ ભટ્ટ, રેખાબેન વિકાસચંદ્ર ભટ્ટ, મધુભાઈ અઘેડા, ભાર્ગવ કિશોરભાઈ પાડલીયા સહિતના મુસાફરો ઘવાયા હતા.

અકસ્માતની જાણ થતા ૧૦૮ ધસી આવી હતી. પાંચ ઈજાગ્રસ્તને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વિકાસચંદ્ર ભટ્ટે એસટી બસના ચાલક સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh