Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેરમેનપદે ધીરજલાલ કારીયા નિમાયા
જામનગર તા. ૨૬: જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ની વર્ષ-૨૦૨૫થી ૨૦૩૦ ટર્મની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન તરીકે ધીરજલાલ કારીયા, વા.ચેરમેન મનસુખભાઈ આકોલા, માનદમંત્રી વિજયભાઈ મહેતા, માનદ સહમંત્રી હર્ષિલભાઈ અનડકટ, માનદ ખજાનચી જતીનભાઈ મહેતા, ડાયરેકટરો મિલનભાઈ કોટેચા, નવનીતભાઈ ખંભાયતા, સચીનભાઈ વડગામા, મનસુરભાઈ તાહેરભાઈ, અરવિંદભાઈ મહેતા, હરીશભાઈ નંદા, નલીનકુમાર પાલાની વરણી થયેલ છે. જેમાં ચૂંટણીપંચ તરીકે પી.એન.વિજયન અને જયરામભાઈ ગણાત્રાના નેજા હેઠળ તા. ૧૬-૬-૨૫ના ચૂંટણીના કાર્યક્રમ મુજબ બિનહરીફ ડાયરેકટરો ચૂંટાયા હતા.તે પછી કારોબારી કમિટીની મિટિંગ મળેલ હતી. ધીરજલાલ આર.કારીયા છેલ્લા ૧૮ વર્ષથી જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ને પોતાની નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે. જેમાં તેઓની તરફથી ઉદ્યોગકારોને રોડ રસ્તા, મીઠા પાણી, લાઈટ તેમજ ભૂગર્ભ ગટરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સિંહફાળો આપ્યો છે. તેઓની ટીમમાં ડાયરેકટરો તરીકે યુવાવર્ગને પણ પોતે પ્રોત્સાહિત કરવાનો પણ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial