Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્મળસિંહ વકીલની સૂચનાથી
જામનગર તા. ૧૨: જામનગરના નામાંકિત આરોપી અને તેના સાગરિતો સામે એક મહિલાને તેણીનું મકાન ખાલી કરવાની ધાક ધમકી આપીને રૂ.૫૦ હજારની માગણી કરી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી તરીકે એક વકીલનું નામ પણ ઉલ્લેખવામાં આવ્યું છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના પટેલ કોલોની શેરી નં.૯ યાદવ પાન સામે ચિરાગ એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષાબેન સંજયભાઈ ધકાણ (ઉ.વ.૫૦) પોતાના મકાનને બળજબરીથી ખાલી કરાવવાની ધાક ધમકી આપવા અંગે નામચીન આરોપી દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફે દીવલો ડોન ઉપરાંત બલભદ્રસિંહ જાડેજા, એક અજાણ્યો શખ્સ તથા નિર્મળસિંહ વકીલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વર્ષાબેન ગત તા.૬ની સવારે પોતાના ઘરે હતા ત્યારે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન, બલભદ્રસિંહ અને અજાણ્યો શખ્સ તેણીના ઘરે પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, હું દીવલો ડોન છું અને નિર્મળસિંહ મારા વકીલ છે. તેણે તારૂ ઘર ખાલી કરાવવાનું કહ્યું છે. આ સમયે ત્રણેય આરોપીઓએ મહિલાના ઘરમાં અરીસો, ટેબલ પંખા વગેરે પછાડી દઈ રૂ.પ હજારનું નુકસાન કર્યું હતું અને મકાન ખાલી કરી આપીને પચ્ચાસ હજારની માગણી કરી હતી અને જો મકાન ખાલી કરવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે દીવલા ડોન, બલભદ્રસિંહ જાડેજા, અજાણ્યો શખ્સ અને નિર્મળસિંહ વકીલ સામે ગુન્હો નોંધ્યો છે જેની તપાસ પોલીસ સબ ઈન્સ. જે.પી. સોઢા ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial