Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત દ્વારા તા. ૧૧ સપ્ટેમ્બરે
જામનગર તા.૧૦: ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તા. ૧૧-૦૯-૨૦૨૫ ના દિવસે તથા તા. ૧૮-૦૯-૨૦૨૫ના મોપ અપ દિવસનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧ થી ૧૯ વર્ષ નાં તમામ બાળકોને આંગણવાડી અને શાળામાં કૃમિનાશક ગોળી (આલબેન્ડાઝોલ) આપવામાં આવશે. સાથે- સાથે વિટામીન - છ રાઉન્ડ નું આયોજન કરવામાં આવેલ છે.
કુપોષણ એ આજનાં યુગ ની એક મોટી સમસ્યા હોઈ, અને કુપોષણ માટે બાળકો માં રહેલા કૃમિ ખુબ મોટો ભાગ ભજવતા હોઈ. વર્ષ માં બે વખત ૧ થી ૧૯ વર્ષ નાં તમામ બાળકો ને કૃમિ નાશક ગોળી આપવી અત્યંત જરૂરી બની જાય છે. જે ધ્યાને લઇ ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર દ્વારાઉપરોક્ત દિવસો દરમિયાન ઝુંબેશ રૂપે આ કામગીરી કરવામાં આવશે. જામનગર જીલ્લાના અંદાજીત ૧૭૫૫૨૬ જેટલા બાળકોને આવરી લેવા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં આરોગ્ય વિભાગની સાથે સાથે શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ૧૦૦% સિદ્ધિ હાસલ કરવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. નુપુર પ્રસાદ દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી જે જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. તેમજ આ કાર્યક્રમ દરમિયાન બહોળા પ્રમાણમાં જન જાગૃતિ આવે અને તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવે તે માટે સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનોને સહકાર આપવા જીલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial