Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મધુસુદન મસાલા લિમિટેડ તરફથી
જામનગર તા. ૩૦: મધુસુદન મસાલા લિમિટેડ તરફથી આદર્શ સ્મશાન-સોનાપુરી (સ્મશાન વ્યવસ્થા સમિતિ-જામનગર) ને અંતિમયાત્રા બસનું લોકાર્પણ થયું છે.
મધુસુદન મસાલા લિમિટેડ તરફથી સીએસઆર અંતર્ગત સામાજિક ઉત્તર દાયિત્વના ભાગ રૂપે જનસેવાર્થે શ્રી સમાજ સેવક મહાવીર દળ-જામનગર સંચાલિત આદર્શ સ્મશાન-સોનાપુરી (સ્મશાન વ્યવસ્થા સમિતિ-જામનગર) ને એક નવી અંતિમયાત્રા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મધુસુદન મસાલા લિમિટેડના ડાયરેક્ટરો દયાળજીભાઈ કોટેચા, વિજયભાઈ કોટેચા, રીષિતભાઈ કોટેચા, હિરેનભાઈ કોટેચા, પાર્થભાઈ સુખપરિયા, હસમુખભાઈ હિંડોચા, અશોકભાઈ સોનેચા દ્વારા સમાજ સેવક મહાવીર દળ-જામનગરના પ્રમુખ દિપકભાઈ ઠક્કર અને માનદ્મંત્રી દર્શનભાઈ ઠક્કરને બસની ચાવીઓ અર્પણ કરીને આ અંતિમયાત્રા બસનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ઉપરોક્ત કાર્યક્રમમાં જામનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, મુકુંદભાઈ સભાયા, માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર સંજયભાઈ ભંડેરી, જયેશભાઈ સાવલિયા, હાપા વેપારી અગ્રણી અનિલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતિયા, કલ્પેશભાઈ બારાઈ, ભરતભાઈ સોનૈયા, મનસુખભાઈ સાવલિયા, શિવુભા ભટ્ટી તેમજ સંસ્થાના સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ અમરભાઈ ગોંદિયા, કારોબારી સભ્ય વિશ્વાસભાઈ ઠક્કર, કલ્પેશભાઈ મહેતા, વિવેકભાઈ રામાણી, દિવ્યેશભાઈ દાવડા, તેજભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial