Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાછોતરૂ વાવેતર કર્યું હોય તેને ફાયદોઃ
જામનગર તા. ૧: હાલાર પંથકમાં ગઈકાલે અમુક સ્થળે છૂટોછવાયો વરસાદ ઝાપટા સ્વરૂપે વરસ્યો હતો. નવરાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી પાકને ક્યાંક ફાયદો તો ક્યાંક નુક્સાન થયું છે.
નવરાત્રિ દરમિયાન હાલારમાં ધોધમાર વરસાદ થયો હતો. ગઈકાલે પણ અમુક તાલુકા પંથકમાં હળવા ઝાપટાં વરસ્યા હતાં, પરિણામે કેટલીક ગરબી બંધ રખાઈ હતી.
આજે સવારે પૂરા થતા ર૪ કલાકમાં જામનગરમાં બે મી.મી., જોડિયામાં પાંચ મી.મી., કાલાવડમાં ૬ મી.મી., લાલપુરમાં ૧૦ મી.મી. અને જામજોધપુરમાં ૧૧ મી.મી. વરસાદ થયો છે.
જામનગર શહેરમાં રાત્રે ધીમી ગતિએ છાટા વરસ્યા હતાં, આમ છતાં અમુક ગરબી સંચાલકોને ગરબી બંધ રાખવાની ફરજ પડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રિ દરમિયાન સારો વરસાદ વરસી જતા ક્યાંક પાકને નુક્સાનીની ભીતિ છે.
અમુક ગામમાં મગફળીનું આગોતરૂ વાવેતર થયું હતું જ્યાં નવરાત્રિ પછી વાડી-ખેતરમાંથી મગફળી કાઢવાની હતી તેને આ વરસાદથી નુક્સાન થયું છે, જ્યારે અમુક ખેડૂતે પાછોતરૂ વાવેતર કર્યું હતું તેને ફાયદો થયો છે. તો કપાસના પાકને પણ નુક્સાન થયું છે.
વરસાદે વિદાય લીધી છે તેમ માનીને ખેડૂતોએ બોર, કૂવા અને સિંચાઈ યોજનામાંથી પાણી પાકને પીવરાવ્યું હતું તેના ઉપર વરસાદ થતા મગફળી પીળી પડી જવા પામી છે.
ક્યાંક ભારે પવનના કારણે બાજરાના છોડને પણ ભારે નુક્સાની જોવા મળી છે. એકંદરે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર પંથકમાં વરસાદથી નુક્સાન થયાના વાવડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial