Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જ્યોતિષી ડો. નિલેશ વ્યાસનું મલેશિયામાં એવોર્ડ તથા પ્રમાણપત્રથી સન્માન

દેશના અનેક રાજ્યોના જ્યોતિષિઓ વિગેરેની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ મલેશિયામાં ઈન્ટરનેશનલ વૈદિક એસ્ટ્રોલોજી ફેડરેશન, યુએસએ, તથા સુબ્રમણ્યમ્ એસ્ટ્રોલોજિકલ અને સ્પીરીચ્યુઅલ કોન્થોકેશન, કેરાલીની સંસ્થા દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતના અનેક રાજ્યોમાંથી જ્યોતિષિઓ, વાસ્તુ વિશારદો, ટેરોરીડર, હોલીંગ લીડર, અંક જ્યોતિષી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને વિવિધ વિષયો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મલેશિયા ગવર્મેન્ટના ટુરીઝમ વિભાગના સેક્રેટરી જોસેફ, ધર્મગુરુ સ્વામી ધ્યાન રહસ્થમયજીની ઉપસ્થિતિમાં આઈવીએએફના મુખ્ય સંચાલક મેનેજીંગ ડાયરેક્ટર દિવ્યાજી પિલ્લઈ હરિશ, જામનગરના ડો. નરેન્દ્રભાઈ દિવાકરન, પંડિત યુવરાજના હસ્તે જામનગરના ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયવાળા ડો. નિલેશ લલિતચંદ્ર વ્યાસનું 'ગ્લોબલ એસ્ટ્રોલોજિકલ આઈકોન એવોર્ડ' તેમજ યુએસએની સંસ્થા દ્વારા લાઈફ મેમ્બરશીપ સર્ટીફિકેટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh