Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા તાલુકાના લાલપરડા ગામ તેમજ ઠાકરશેરડીમાં આમઆદમી પાર્ટીની જાહેર સભા

અનેક લોકો સ્વયંભૂ 'આપ' માં જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: ખંભાળીયા તાલુકાના લાલપરડા તથા ઠાકરશેરડી ગામોમાં તાજેતરમાં આમઆદમી પાર્ટી દ્વારા રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં જનસભાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ, લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા.

લાલપરડા ગામના સરપંચ વીરાભાઈ કરમુર (મુન્નાભાઈ) ૨૦૦ થી વધુ કાર્યકરો સાથે આપમાં જોડાયા હતા, તો ઠાકરશેરડી ગામમાં પણ ગામના ઉપસરપંચ અરવિંદભાઈ કણઝારીયા પોતાના સમર્થકો સાથે આપ પાર્ટીમાં જોડાયા હતા.

ઈશુદાન ગઢવીએ ગુજરાતના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરીને શિક્ષણ, આરોગ્ય, રોજગારી, ખેડૂતોના પ્રશ્નો અંગે તેમની બેદરકારીની વાતો કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh