Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુતારપરમાં પણ બે આસામીના સ્ટોલ પર ચકાસણીઃ
જામનગર તા. ૧૬: જામનગર નજીકના હાપામાં ચાંદનીચોક પાસે જાહેરમાં ફટાકડાનું વેચાણ કરતા બે આસામી તથા જામનગર તાલુકાના ધુતારપરમાં પરવાના વગર ફટાકડા વેચી રહેલા બે આસામી સામે પંચકોશી એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.
જામનગર નજીકના હાપા પાસે રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાંદનીચોક પાસે પરવાના વગર જ જાહેરમાં ફટાકડાનું વેચાણ કરતા મનજીત રાજેન્દ્રસિંગ રામગઢીયા નામના આસામી સામે પંચકોશી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
ત્યાં જ અજય પ્રવીણભાઈ રણલોરીયા નામનો શખ્સ પણ લાયસન્સ વગર ફટાકડા વેચતો મળી આવ્યો હતો. તેની સામે પણ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં દિલીપ લાલજીભાઈ ચૌહાણ તથા વ્રજલાલ જમનભાઈ ચાંગાણી નામના બે આસામીએ પણ પરવાનો મેળવ્યા વગર જ જાહેરમાં ફટાકડાનું વેચાણ શરૂ કર્યું હતુંં. ત્યાં ધસી ગયેલી પોલીસે બંને સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial