Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં પોલીસના ગુપ્ત કાર્યક્રમ જેવા લોકદરબારથી આગેવાનોમાં પ્રસર્યું આશ્ચર્ય

જમીનની હકીકત બહાર આવશે તેવો ડર હશે?:

                                                                                                                                                                                                      

ઓખો જગથી નોખો.. તેવી કહેવત અવારનવાર યથાર્થ ઠરતી રહી છે ત્યારે ગયા સપ્તાહે પોલીસ દ્વારા યોજવામાં આવેલો લોકદરબાર પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઓખામાં પોલીસ મથકની અગાસી પર એસપી જયરાજસિંહ વાળાની ઉપસ્થિતિમાં ઈન્સ્પેક્શન વગેરે કામગીરી સાથે લોકદરબાર યોજાયો હતો. તેમાં સ્થાનિક, રાજકીય તથા સામાજિક આગેવાનોને કે મહિલા અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ગણ્યાગાંઠ્યા લોકો સાથે બેઠક કરી લોકદરબારનું નામ આપી દેવાયાનું ચર્ચાઈ રહ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ રોશીયાએ જણાવ્યું છે કે, તેઓ પણ લોકદરબારથી અજાણ હતા ત્યારે દારૂના દૂષણ સહિતની બાબતો અંગે પોલીસ રાગદ્વેષથી કામ કરતી હોવાના આક્ષેપો કરાયા છે. શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈએ પણ લોકદરબારની જાણકારી ન હોવાનું ઉમેર્યું છે. ત્યારે જમીની હકીકતનો ડર છાપરે ચઢીને પોકારશે તો..? તેવા ડરથી લોકદરબાર આટોપી લેવાયો કે કેમ..? તેવું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે અને લોકદરબાર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh