Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેર-ગ્રામ્યના શિવમંદિરોમાં વિશિષ્ટ દર્શન યોજાયાઃ ભાવિકો ઉમટી પડ્યા

શ્રાવણ માસના બીજા સોમવારે

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ખંભાળીયામાં શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય દર્શન સાથે આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

શ્રાવણ માસના સોમવારે સવારથી જ પૂજા, અર્ચના કરવા જલ ચડાવવા ભાવીકો અહીંના વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ મંદિરે ઉમટયા હતા. તો સાંજે ખંભાળીયાના ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ તથા પાળેશ્વર મહાદેવ મંદિરોમાં ઘી ની મહાપૂજાના વિશિષ્ઠ દર્શન સાથે આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

ખંભાળીયાના ગ્રામ્ય પંથકના પ્રાચીન શિવમંદિરો ભાતેલના ભોળેશ્વર મહાદેવ, સલાયામાં પાળેશ્વર મહાદેવ નજીક નાગનાથ મહાદેવ, વડત્રામાં ધીંગેશ્વર મહાદેવ, કોટામાં કોટેશ્વર મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ, રામનગર બાલનાથ મહાદેવ, શક્તિનગર શીરેશ્વર મહાદેવ મંદિર વગેરે મંદિરોમાં પણ વિશેષ પૂજા દર્શન યોજાયા હતા. જેમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તથા મોડી રાત્રે પણ ભાવિકો દર્શને જતા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh