Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણ માસના બીજા સોમવારે
ખંભાળીયા તા. ૫: ખંભાળીયામાં શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય દર્શન સાથે આરતીમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શ્રાવણ માસના સોમવારે સવારથી જ પૂજા, અર્ચના કરવા જલ ચડાવવા ભાવીકો અહીંના વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ મંદિરે ઉમટયા હતા. તો સાંજે ખંભાળીયાના ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ તથા પાળેશ્વર મહાદેવ મંદિરોમાં ઘી ની મહાપૂજાના વિશિષ્ઠ દર્શન સાથે આરતીમાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
ખંભાળીયાના ગ્રામ્ય પંથકના પ્રાચીન શિવમંદિરો ભાતેલના ભોળેશ્વર મહાદેવ, સલાયામાં પાળેશ્વર મહાદેવ નજીક નાગનાથ મહાદેવ, વડત્રામાં ધીંગેશ્વર મહાદેવ, કોટામાં કોટેશ્વર મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ, રામનગર બાલનાથ મહાદેવ, શક્તિનગર શીરેશ્વર મહાદેવ મંદિર વગેરે મંદિરોમાં પણ વિશેષ પૂજા દર્શન યોજાયા હતા. જેમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તથા મોડી રાત્રે પણ ભાવિકો દર્શને જતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial