Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૫ - સુર્યાસ્ત : ૬-૫૦
દિવસના ચોઘડીયા
(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત
રાત્રિના ચોઘડીયા
(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૯:
તા. ૧૫-૦૯-ર૦૨૫, સોમવાર,
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨,
મુસ્લિમ રોજઃ ૨૨, નક્ષત્રઃ મૃગશીર્ષ,
યોગઃ વ્યતિપાત, કરણઃ તૈતિલ
તા. ૧૫ સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે આપના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય, પરંતુ આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગનો સામનો કરવો પડે. કૌટુંબિક-પારિવારિક દૃષ્ટિએ આપને દોડધામ-શ્રમ જણાય. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવતા રાહત જણાય. વિદ્યાર્થીવર્ગને લાગણી-મિત્રતાના ચક્કરમાં અભ્યાસ બગડે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્થિતિમાં સુધારો આવે.
બાળકની રાશિઃ મિથુન