Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગ દ્વારા કરાશે આવતીકાલથી એક્સ્ટ્રા બસોનું સંચાલન

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧પઃ ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા-આવવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, જેમાં તા. ૧૬-૧૦-ર૦રપ થી તા. પ-૧૧-ર૦રપ સુધી જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, અને ડેપો પરથી મુસાફરો આ સમયગાળા દરમિયાન એડવાન્સ બુકીંગ પણ કરાવી શકશે.

જો એક જ ગ્રુપના પ૧ થી વધુ મુસાફરો ગ્રુપ બુકીંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવશે. માટે દિવાળીના તહેવાર દરમિયાન જનતાને એસ.ટી. બસોની સુવિધાનો વધુમાં વધુ લાભ લેવા એસ.ટી. જામનગરના વિભાગીય નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh