Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શક્તિપીઠમાં ભાદરવી અમાસે પિતૃતર્પણનો કાર્યક્રમઃ નોંધણી શરૂ

આસો નવરાત્રિમાં અનુષ્ઠાન-મંત્રજાપઃ સામૂહિક યજ્ઞ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: ગાયત્રી શક્તિપીઠ-જામનગરમાં પ્રતિવર્ષ ચૈત્ર માસ અને ભાદરવા માસની અમાસના દિવસે પિતૃ શાંતિ માટે સામૂહિક  તર્પણનો નિઃશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવે છે. તદ અનુસાર ચાલુ વર્ષે ભાદરવા માસની અમાસ નિમિત્તે રવિવાર તા. ૨૧-૯-૨૫ના રોજ સવારે ૮ થી ૧૦ સામૂહિક તર્પણ વિધિનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આથી ઈચ્છુક વ્યક્તિઓએ ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં મોડામાં મોડુ તા. ૧૯-૯-૨૫ના રાત્રેે ૮ વાગ્યા સુધીમાં પોતાના નામ નોંધાવી દેવા ગાયત્રી શક્તિપીઠ જામનગરની યાદીમાં જણાવાયુ છે.

ચાલુ વર્ષે આસો માસની નવરાત્રિનું અનુષ્ઠાન ગાયત્રી શક્તિપીઠમાં તા. ૨૨-૯ થી તા. ૨-૧૦ સુધી સંપન્ન થશે. આથી અનુષ્ઠાન કરવા ઈચ્છતા ભાઈઓ/બહેનોને શક્તિપીઠ ના ધ્યાનખંડમાં આગલા દિવસે સાંજે ૫ થી ૬ દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા તથા ત્યાર બાદ અનુષ્ઠાન માટે સાંજે ૫ થી ૬ દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા તથા ત્યાર બાદ અનુષ્ઠાન માટે ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી મંત્રના જાપ/માળા વહેલી સવારના ૪ વાગ્યાથી આખા દિવસ દરમ્યાન અનુકૂળતા મુજબ સંપન્ન કરવા હાર્દિક નિમંત્રણ છે. અનુષ્ઠાન પૂર્ણાહૂતિનો નવકુંડી સામૂહિક ગાયત્રી હવન ગાયત્રી શક્તિપીઠના ધ્યાનખંડમાં  તા. ૨-૧૦ ના સવારે ૮ થી ૧૧ સુધી આયોજિત કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા તથા દર્શનનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh